✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'હું જ્યારે કહું ત્યારે મારી સાથે સેક્સ માણવા આવી જજે'. જૈનાચાર્યે કોલેજીયન યુવતીને આપી હતી શું ધમકી ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  19 Oct 2017 10:28 AM (IST)
1

સુરતઃ 19 વર્ષીય યુવતી પર બળાત્કારના કેસમાં જૈન આચાર્ય શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવેલી વાત પરથી લાગી રહ્યું છે કે શાંતિસાગરે પીડિતાને બ્લેકમેઇલ પણ કરી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બળાત્કાર બાદ શાંતિસાગરે કહ્યું હતું કે, હું જ્યારે જ્યારે બોલાવું ત્યારે તારે મારી પાસે આવવું પડશે.

2

3

પીડિતાએ જણાવ્યું કે શાંતિસાગરે મારા માતા-પિતાને નીચે બેસાડી ચંદનના નાના લાકડાના ટુકડા વડે માતા-પિતા ઉપર હવામાં ગોળ-ગોળ ફેરવી ‘ઓમ રીમ શ્રી ધનપતી કુબેરાઈ નમો: ‘નો જાપ આંખ બંધ કરીને જપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે ‘ગમે તે થાય પણ હું ના કહું ત્યાં સુધી આ કુંડાળામાંથી બહાર આવવાનું નથી.’

4

મળતી વિગતો અનુસાર, પીડિતા સતત 13 દિવસ સુધી મૌન રહી હતી પરંતુ 13 ઓક્ટોબરના રોજ તેણે શાંતિસાગર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શાંતિસાગરે પીડિતાના માતા-પિતાને કહ્યું કે ભગવાનના જાપની ક્રિયા કરવાની હોય તમે બધા મારા જોડે આવો તેમ કહી બાજુમાં આવેલા બીજા રૂમમાં લઈ ગયા હતા.

5

પીડિતાએ જણાવ્યું કે એટલું જ નહી પણ શાંતિસાગરે ધમકી આપી હતી કે જો તું આ વાત કોઇને કહીશ તો તારા માતા પિતા મરી જશે. પીડિતાએ અઠવા પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આ કેફિયત રજૂ થઈ છે.

  • હોમ
  • સુરત
  • 'હું જ્યારે કહું ત્યારે મારી સાથે સેક્સ માણવા આવી જજે'. જૈનાચાર્યે કોલેજીયન યુવતીને આપી હતી શું ધમકી ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.