✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ ફૂટપાથ પર રહેતા પરિવાર પર ફરી વળી સ્કૂલ વાન, દંપતીનું મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Dec 2016 10:53 AM (IST)
1

2

3

સુરત: આજે વહેલી સવારે શહેરના ભટાર વિસ્તારમાં એક સ્કૂલ વાન ફૂટપાથ પર રહેતા પરિવાર પર ફરી વળી હતી. આ અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થયું હતું. જ્યારે અન્ય ચારેક લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે વાન ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

4

આ અંગેની વધુ વિગતો એવી છે કે, મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર આજે વહેલી સવારે મૂળ ઝાલોદનો પરિવાર ભટાર સી-10 ટેનામેન્ટ પાસે રસ્તા પર મજૂરી કામ પર જવા માટે રસોઈ કરી રહ્યો હતો. દરમિયાન શાંતિનિકેતન સ્કૂલની વિંગર વાન(GJ-5-AV-0962) પુરપાટ ઝડપે આવી હતી. વાનના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પરિવાર પર ફરી વળી હતી. જેમાં દંપતીનું મોત નીપજ્યું છે.

5

6

7

8

આ અકસ્માતમાં દંપતી લાલા નાનકા ટીલા અને સુમિત્રા લાલા ટીલાનું મોત થયું છે. જ્યારે અન્ય ચાર લોકોને ઇજા થઈ છે. ખટોદરા પોલીસે વાન ચાલકની ધરપકડ કરી વાનને પણ કબજે કરી છે. પરિવાર સવારે મજૂરીએ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ફૂલ સ્પીડમાં આવેલી સ્કૂલ વાન તેમના પર ચડી ગઈ હતી.

  • હોમ
  • સુરત
  • સુરતઃ ફૂટપાથ પર રહેતા પરિવાર પર ફરી વળી સ્કૂલ વાન, દંપતીનું મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.