✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ યુવતી પર બળાત્કારના કેસમાં સ્વામીનારાયણ સાધુની પોલીસે કરી ધરપકડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2018 12:02 PM (IST)
1

સુરતઃ કતારગામમાં 20 વર્ષીય યુવતીની બળાત્કારની ફરિયાદને આધારે પોલીસે 24 વર્ષીય સ્વામીનારાયણ સાધૂ તારણ સ્વામીની ધરપકડ કરી છે અને તેમને મેડિકલ પરીક્ષણ માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા છે. યુવતીએ બળાત્કારની ફરિયાદ કર્યા પછી ગઈ કાલે રાત્રે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાયું હતું.

2

યુવતીની ફરિયાદ છે કે, ડભોલા સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતાં તારણ સ્વામીએ યુવતીને સ્ટોરરૂમમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી પર પંદર દિવસ પહેલા અને પછી મંગળવારે બપોરે બીજીવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. યુવતીને તારણસ્વામીએ સ્ટોરરૂમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.

3

ટ્રસ્ટીએ એમ પણ જણાવ્યું હતું કે, યુવતીના આક્ષેપ પછી અમે મંદિરના સીસીટીવીની તપાસ કરી હતી, પરંતુ તેમાં કંઇ જ શંકાસ્પદ મળી આવ્યું નથી. જેથી તારણ સ્વામી એકદમ નિર્દોષ હોવાનું અમને લાગી રહ્યું છે. પોલીસ તપાસ પછી બધું જ સ્પષ્ટ થઈ જશે.

4

યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે તારણસ્વામીની ધરપકડ કરી લીધી છે. પોલીસ અને એફએસએલની ટીમ જ્યાં બળાત્કાર થયો હોવાનો આક્ષેપ લગાવાયો છે, ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સ્ટોરરૂમ પાસેથી પોલીસને કોન્ડોમના પેકેટ પણ મળી આવ્યા છે.

5

બળાત્કારની ફરિયાદ પછી એબીપી અસ્મિતા દ્વારા ડભોલી સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી જયેશ ગોયાણી સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વામી પર ખોટો આક્ષેપ લગાવ્યો છે. અમે હાલ પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા છે. પોલીસ તપાસ પછી દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે.

  • હોમ
  • સુરત
  • સુરતઃ યુવતી પર બળાત્કારના કેસમાં સ્વામીનારાયણ સાધુની પોલીસે કરી ધરપકડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.