સુરતઃ પતિની બીમારીની વિધી માટે ગયેલી માતા-દીકરી પર તાંત્રિકે ગુજાર્યો બળાત્કાર
આ અંગેની વિગતો એવી છે કે, મહિલાનો પતિ બીમાર રહેતો હોવાથી મહિલા અને તેની સગીર પુત્ર અઠવાના તાંત્રિક પાસે વિધી કરાવવા ગયા હતા. તાંત્રિક અકમલબાબાએ તંત્રમંત્રથી દોરા-ધાગા વડે પિતાની બીમારી સારી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. આ પછી વિધીના બહાને દુકાનની અંદર લઈ જઈ 14 વર્ષીય સગીરાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
સુરતઃ શહેરના અઠવા વિસ્તારમાં રહેતા એક તાંત્રિકે પોતાની પાસે પિતાની બીમારી દૂર કરવા માટેની વિધી કરાવવા આવેલી દીકરી અને તેની માતા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તાંત્રિક પર ફિટકાર વરસી રહ્યો છે. અઠવા પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સગીરા પર બળાત્કાર ગુજાર્યા પછી તેને તાંત્રિક વિધીનો ભય બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી. આ તાંત્રિકે મહિલા અને સગીરા પર લગભગ એક વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. અંતે આ તાંત્રિકની હવસનો શિકાર બનેલી મહિલાએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે.