✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ NH-56 પર લક્ઝરી બસનો અકસ્માત, બેના મોત, 12થી વધુ ઘાયલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jun 2017 11:30 AM (IST)
1

સુરતઃ નેશનલ હાઈ-વે 56 ઉપર કિકવાડ ગામ નજીક વહેલી સવારે ખાનગી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે. જ્યારે 12થી વધુ ઘાયલ થયા છે. બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

2

આજે વહેલી સવારે મહારાષ્ટ્રથી અમદાવાદ જતી સાગર ટ્રાવેલર્સની બસ નેશનલ હાઈ-વે 56 પર બારડોલી તાલુકાના કિકવાડ ગામ નજીક પલટી મારી ગઈ હતી. જેમાં 2 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બસ 56 જેટલા મુસાફરોને લઇ અમદાવાદ જઇ રહી હતી. વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગ્યાના અરસામાં બનેલી આ દુર્ઘટના બાદ મુસાફરોની ચિચિયારીથી લોકો દોડી આવ્યા હતા.

3

4

લોકોની મદદથી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા. ત્યારબાદ 108ની મદદથી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતમાં યોગેશ ગુલાબ ભાલેરાવ અને રાજુ બાબુલ નામના મુસાફરનું કરૂણ મોત થયા હતા.

  • હોમ
  • સુરત
  • સુરતઃ NH-56 પર લક્ઝરી બસનો અકસ્માત, બેના મોત, 12થી વધુ ઘાયલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.