સુરતઃ પ્રેમી સાથે સેક્સ માણતી પત્નિને જોઈ ગયેલા યુવકના થયા કેવા હાલ ? જાણો

હત્યા બાદ કુસુમે દિયર કુંદનસિંહને ફોન કરીને ટ્રેન અકસ્માતમાં ગોપાલનું મોત થઇ હોવાનું જણાવ્યું હતું. કુંદને 4 દિવસ પહેલાં સ્મીમેર હોસ્પિટલમાં ગોપાલની લાશ ઓળખી બતાવી પછી પોલીસને જાણ કરતા પોલીસે કુસુમની પૂછપરછ કરી હતી. કુસુમે પોલીસને એવું કહ્યું કે, ગોપાલે આત્મહત્યા કરી હતી. તેણે માત્ર લાશનો નિકાલ કર્યો હતો.
કુસુમ અને અમરનાથે પોતાના ઘરમાં જ ગોપાલને દુપટ્ટાથી ફાંસો આપીને તેની હત્યા કરી નાંખી હતી. ત્યાર બાદ તેની લાશને રિક્ષામાં મૂકીને સાયણ રોડ પર અંજની ઇન્ડ્સ્ટ્રીઝ પાસે નહેર કિનારે નાખી આવ્યા હતા. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે અને તેના પ્રેમી યુવકની શોધખોળ ચલાવી રહી છે.
ગોપાલને પોતાના સેક્સ સંબંધોની જાણ થઈ જતાં પોતાના સંબંધોમાં ગોપાલ અડચણરૂપ બન્યો હોવાથી તેની હત્યા કરવાનું કુસુમ અને અમરનાથે નક્કી કરી નાંખ્યું હતું. 21 ડિસેમ્બરે ગોપાલ ઘરમાં સૂતો હતો ત્યારે કુસુમ અને અમરનાથ સાથે મળીને ગોપાલને દબાવી દીધો હતો.
હત્યાના એકાદ અઠવાડિયા પહેલાં કુસુમ અને અમરનાથ પોતાની હવસ સંતોષવામાં વ્યસ્ત હતાં એ વખતે જ ગોપાલ આવી ચડ્યો હતો. પત્નિને પોતાના પ્રેમી સાથે નગ્નાવસ્થામાં જોઈ તેનો પિત્તો ગયો હતો. તેણે કુસુમ સાથે ઝગડો કર્યો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે સુરતના અમરોલીમાં સાયણ રોડ પર આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસે નહેર કિનારેથી 22 દિવસ પહેલાં એક યુવકની લાશ મળી હતી. યુવકની હત્યા ગળુ દબાવીને કરાઈ હોવાનું તેના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં બહાર આવ્યું હતું.
પોલીસે કરેલી તપાસમાં મરનારની ઓળખ ગોપાલ મોતિલાલ સિંહ તરીકે થઇ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને મૃતકની પત્ની કુસુમ પર શંકા ગઈ હતી. જો કે એ વખતે કોઈ પુરાવા ના હોવાથી પોલીસે વધુ તપાસ કરવાનું નક્કી કર્યું હતું.
પોલીસે આ કેસમાં વધુ તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે મૃતકની પત્ની કુસુમને અમરનાથ નામના યુવક સાથે 7 વર્ષથી સેક્સ સંબંધ હતા. બંને ગોપાલની ગેરહાજરીમાં રંગરેલિયાં મનાવતાં અને પોતાની હવસ સંતોષતાં હતાં.
સુરતઃ સુરતના અમરોલીમાં આવેલી અંજની ઈંડસ્ટ્રઝમાં 22 દિવસ પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે અને આ હત્યા માટે મૃતક યુવાનની પત્નિના સેક્સ સંબંધો જવાબદાર હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. પત્નિએ જ પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો હતો.