ફેસબુકે ડિલીટ કર્યા 320 કરોડ એકાઉન્ટ્સ, જાણો શું છે તેની પાછળનું કારણ
abpasmita.in | 15 Nov 2019 10:19 AM (IST)
ફેસબુકે આ વખતે પણ માહિતી આપી છે કે તેના ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નકલી સમાચારો અને અફવાઓનું ખૂબ શેર કરવામાં આવી રહ્યાં છે
નવી દિલ્હીઃ સોશિયલ મેટવર્કિંગ સાઈટ ફેસબુકે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે પોતાના પ્લેટફોર્મ પરથી અંદાજે 320 કરોડ નકલી એકાઉન્ટ હટાવ્યા છે. ઉપરાંત ચાઈલ્ડ એબ્યૂઝ અને આત્મહત્યા સાથે જોડાયેલ અંદાજે 1 કરોડ ફેબુક પોસ્ટ પણ હટાવી છે. આ આંકડો સાઈટના લેટેસ્ટ કન્ટેન્ટ મોડરેશન રિપોર્ટમાં સામે આવ્યો છે, જે બુધવારે શેર કરવામાં આવ્યો છે. ફેસબુક તરફથી બટાવવામાં આવેલ ફેક એકાઉન્ટ્સ વિતેલા વર્ષે આજ સમયે હટાવવામાં આવેલ એકાઉન્ટ્સ કરતાં બે ગણા છે. વિતેલા વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે અંદાજે 155 કરોડ ફેક એકાઉન્ટ્સ હટાવવામાં આવ્યા હતા. ફેસબુકે આ વખતે પણ માહિતી આપી છે કે તેના ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર નકલી સમાચારો અને અફવાઓનું ખૂબ શેર કરવામાં આવી રહ્યાં છે, જોકે કંપની નકલી સમાચારોને રોકવા માટે ફિલ્ટર્સનો ઉપયોગ પણ કરી રહી છે. કંપનીએ કહ્યું છે કે બાળકોને લગતી અશ્લીલ પોસ્ટ ઉપરાંત સોશિયલ મીડિયા પર સ્વ-નુકસાનની સામગ્રીનું પ્રમાણ પણ ખૂબ છે, જેને દૂર કરવામાં આવી રહ્યું છે. આ એપિસોડમાં, આવી સામગ્રીથી સંબંધિત એકાઉન્ટ પણ કાયમ માટે કાઢી નાખવામાં આવે છે.