વિશ્વભરમાં સેનેટાઈઝરનો ઉપયોગ ઘણાં વર્ષોથી થઈ રહ્યો છે. પરંતુ કોરોનાકાળમાં દરેક વ્યક્તિ સેનેટાઈઝરનો ઉપયોગ કરીને ખુદને કોરોના વાયરસથી બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. લોકો માત્ર પોતાના હાથમાં જ નહીં પરંતુ સૌથી વદારે ઉપયોગ થનારા ડિવાઈસ એટલે કે પોતાના મોબાઈલ ફોનને પણ તેનાથી સાફ કરે છે. જોકે હવે તેના ગંભીર પરિણામ સામે આવી રહ્યા છે.


સ્ક્રીન, લેંસ પર પડી રહી છે અસર

ખુદને વાયરસથી બચાવવા માટે લોકો માસ્ક પહેરવાની સાથે જ સેનેટાઈઝર પોતાના હાથો પર લગાવી રહ્યા છે. બીજી બાજુ મોટેભાગે હાથમાં રહેતો મોબાઈલ ફોન પણ આ વાયરસનું કારણ બની શકે છે માટે ઘણાં લોકો તેના પર પણ સેનેટાઈઝર લગાવે છે.  પરંતુ તેના કારણે મોબાઈલ પોનમાં ખરાબીની ફરિયાદો સામે આવી રહી છે.

રિપોર્ટ અનુસાર, અનેક લોકોએ પોતાના ફોનમાં ખરીબીની ફરિયાદ કરી, જેનું કારણ ડિવાઈસને સાફ કરવા માટે હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. મોબાઈલ રિપેરિંગની દુકાનોમાં એવા કેસ સામે આવી રહ્યા છે જેમાં ફોનની સ્ક્રીનથી લઈને તેના ઇયરફોન જેક અને કેમેરા લેન્સ સુધી ખરાબ થયા છે.

સેનેટાઈઝરમાં આલ્હોકોલ હોય છે, જેના કારણે આ વાયરસને ખત્મ કરવામાં મદદ કરે છે, પરંતુ મોબાઈલ ફોન પર સેનેટાઈઝર લગાવવાને કારણે સ્પીકર અને માઈક્રોફોન વાળી જગ્યાથી હેન્ડસેટની અંદર પહોંચી જાય છે અને તેમાં રહેલ સર્કિટ અને ચિપને નુકસાન પહોંચાડે છે.

ફોનની સફાઈ પણ જરૂરી

જોકે ફોનને સાફ કરવો પણ જરૂરી છે, કારણ કે સતત આપણાં હાથમાં રહે છે અને ઘણી વખત તે ખતરનાક વાયરસ અને બેક્ટેરિયાનો વાહક બની જાય છે. એવામાં ખૂબ જ સમજદારી અને સાવચેતીથી તેની સફાઈ જરૂરી છે.

તેના માટે એક નાનું કપડું લઈને તેના પર એક ટીપું સેનેટાઈઝર નાંખવું જોઈએ અને પછી ફોનની સ્ક્રીન અને તેની બેક પેનલને સાફ કરવા જોઈએ. ક્યારેય પણ તેને માઈક્રોફોન, સ્પીકર અથવા ચાર્જિંગ/ઇયરફોન જેક પાસે ન લઈ જાવ.

ઉપરાંત મેડિકલ સ્ટોર જઈને મેડિકલ વાઈપ્સ લઈ શકો છે, જેમાં સેનેટાઈઝર જેવા જ લક્ષણ હોય છે. આ સામાન્ય રીતે હાથ સાફ કરવા માટે થાય છે, પરંતુ તેમાં પૂરી સાવચેતી સાથે ફોનની સફાઈમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આ એક સરળ રીત પણ છે.