નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ (Reliance Jio)ના પ્રહુપ્રતીક્ષિત જિયોફોન નેક્સ્ટ (JioPhone Next)નુ વેચાણ થોડાક દિવસોમાં શરૂ થવાનુ છે. આને દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન માનવામાં આવે છે. આની કિંમત લગભગ 50 ડૉલર એટલે કે 3,650 રૂપિયાથી પણ ઓછી હોઇ શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી આની કિંમતનો ખુલાસો નથી કર્યો. જિઓ આને ગૂગલની સાથે મળીને ડેવલપ કરી રહી છે. જો આ ફોન હિટ સાબિત થાય છે તો આમાં બેન્કોની એક મોટી સમસ્યાનુ સમાધાન થઇ શકે છે.  


દેશમાં હજુપણ 30 કરોડ લોકો ફિચર ફોન (Feature Phone)નો ઉપયોગ કરી રહ્યાં છે. આમાંથી મોટાભાગના મજૂર વર્ગના લોકો છે. હવે આટલી મોટી સંખ્યામાં કસ્ટમરના ઓનલાઇન થવા પર કસ્ટમર ડેટાની માંગમાં તેજી આવશે. સવાલ એ છે કે બેન્ક કસ્ટમર્સની આટલી મોટી સંખ્યાને કઇ રીતે સંભાળી શકશે. આનુ સમાધાન iSPIRTથી મળશે, જે પૉલીસી ઇન્ફ્લૂએન્જર્સનુ એક નાનુ ગૃપ છે. આ દેશના ડિજીટલ માર્કેટ્સ માટે ચૂપચાપ ટેકનોલૉજી સ્ટાન્ડર્ડ નક્કી કરી રહ્યું છે, અને કંપનીઓનો ઓનલાઇન પેમેન્ટ્સથી લઇને હેલ્થકેર સુધીની નવા ઓપન નેટવર્ક્સ માર્કેટમાં આવવા માટે લલચાવી રહી છે. 


એકાઉન્ટ એગ્રીગેટર્સ - 
બેંગ્લુરુનુ આ ગૃપ એકાઉન્ટ એગ્રીગેટર્સના રૂપમાં નવા પ્રકારની કંપનીઓ ઉભી કરી રહી છે. આવામાં કસ્ટમર્સને વધુ ફાયદો થશે જે પરંપરાગત સંસ્થાઓમાંથી લૉન નથી લઇ રહ્યાં. વિકાસશીલ દેશોમાં આવા લોકોની સંખ્યા 80 ટકા છે, જેની વિકસીત દેશોમાં આ સંખ્યા 40 ટકા છે. પરંતુ JioPhone Next જેવા ઇનૉવેશનના કારણે આ લોકોને ફાયદો થશે. તે પોતાના રેન્ટ, રેટ અને યૂટિલિટી બિલ્સ પોતાના સ્માર્ટફોનથી ભરી શકશે અને પેમેન્ટ્સ પણ આના પર રિસીવ કરી શકશે. એકાઉન્ટ એગ્રીગેટર્સ આ લોકોનો ડિજીટલ ડેટા લઇને આને બેન્ક લૉન એપ્લિકેશન માટે મશીન રીડેબલ ફોર્મેટના અનુરૂપ બનાવશે.  


JioPhone Next એવા લોકોનો ડેટા આપશે જે બેન્કિંગ સુવિધાઓથી દુર છે. એશિયા અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણી (Mukesh Ambani)ની 4જી ટેલિકૉમ નેટવર્ક જિઓ પોતાના સબ્સક્રાઇબર્સનો કેટલોક ડેટા એકઠો કરશે. આની ગૂગલ (Google)ને પણ યૂઝર્સ લૉકેશન અને સર્ચ ક્વેરીઝના ડેટા મળશે. જ્યાં સુધી રિયલટાઇમ ડેટાનો સવાલ છે તો બેન્ક ક્યારેય પણ પ્લેટફોર્મ્સના પ્રભાવનો મુકાબલો નહીં કરી શકે, પરંતુ એકાઉન્ટ એગ્રીગેટર્સના આંકડાઓથી તેમને મદદ મળશે. 




ગરીબ પરિવારોને પણ મળશે લૉન - 
આનાથી તેમને જાણવા મળી શકશે કે કયા કસ્ટમરને ક્રેડિટ આપવી જોઇએ કે નહીં. માની લો કે કોઇ ગ્રાહક નિયમિત રીતે પોતાના ટેલિફોનનુ બિલ જમા કરાવે છે તો બેન્કોને ખબર પડી જશે કે તેને ક્રેડિટ આપવામાં ઓછુ જોખમ છે. આ રીતે ઓછી આવકના પરિવારોને પણ બેન્કોમાંથી આસાનીથી લૉન મળી શકશે. સવાલ એ છે કે નળ પર કોણો હક રહેશે. વૉલમાર્ટ ઇન્કના ફોન પે એગ્રીગેટર્સ બનવા માટે આરબીઆઇ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. દેશની 8 બેન્કો આ ફ્રેમવર્કનો ઉપયોગ કરવા માટે સહમત થઇ ગઇ છે.