✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરામાં PSIએ પોલીસ ચોકીમાં જ ગોળી મારી કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં શું લખ્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Sep 2018 12:17 PM (IST)
1

2

પીએસઆઈએ માથામાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો. પોલીસ વિભાગે જાંબાઝ અધિકારી ગુમાવ્યો હતો. FSLની મદદ પણ લેવામાં આવી છે. ટ્રેનિંગ પૂર્ણ કરીને જાડેજા હમણાં જ આવ્યા હતાં.

3

રિવોલ્વરનો અવાજ સાંભળતાં જ અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા. ત્યાર બાદ આ અંગે ઉચ્ચ અધિકારીઓ જાણ કરવામાં આવતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. જોકે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાસ્થળેથી પોલીસ અધિકારીઓને એક ડાયરી મળી આવી હતી.

4

પીએસઆઈ એસ.એસ.જાડેજાએ આપઘાત કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ અગં ડીસીપી દીપક મેઘાણી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં તેમણે જણાવ્યું હતું કે, પીએસઆઈ જાડેજા પાસેથી એક ડાયરી મળી હતી.

5

વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલાં પીએસઆઈ એસ.એસ.જાડેજાએ અલકાપુરી પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વરથી માથામાં ગોળી મારી આપઘાત કર્યો હતો.

6

પીએસઆઈ એસ.એસ.જાડેજાએ આત્મહત્યા પહેલા ડાયરીમાં લખાણ લખ્યું હતું, પીએસઆઈની નોકરી મારાથી થઈ શકે તેમ નથી, મને માફ કરજો. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, પીએસઆઈના આપઘાત પાછળનું કારણ તેમને ઉપલી અધિકારીનું પણ દબાણ હોવાની ચર્ચા ચાલી રહી છે.

7

વડોદરા: વડોદરાના અલકાપુરી પોલીસ ચોકીમાં પીએસઆઈએ માથામાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો. ફાયરિંગનો અવાજ સાંભળતાં જ અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતાં જ્યારે ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ ચોકી દોડી આવ્યા હતાં. FSLની પણ મદદ લેવામાં આવી છે. પોલીસ અધિકારીએ આત્મહત્યા પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી.

  • હોમ
  • વડોદરા
  • વડોદરામાં PSIએ પોલીસ ચોકીમાં જ ગોળી મારી કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં શું લખ્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.