અમિત શાહ જાહેરમાં ભાજપના કાર્યકરો પર કેમ થયા ગુસ્સે? ચોતરફ પડી ગયો સોપો
તેમણે જણાવ્યું હતું કે, દેશમાં માત્ર ભાજપ અને કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરિક લોકતંત્ર સલામત છે. ભાજપમાં આંતરિક લોકતંત્ર છે અને 16 વર્ષનો કિશોર ભલે આજે પોસ્ટર લગાડતો હોય પણ જો તેનામાં ઝઝૂમવાની તાકાત હોય, કર્મઠ હોય તો રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, વડાપ્રધાન થઇ શકે છે, મુખ્યમંત્રી થઇ શકે છે.
સંમેલનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં 4 લાખ વિસ્તારકોને જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ 15 દિવસથી એક વર્ષ સુધી કામરૂપથી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઠ લાખ બૂથોનો પ્રવાસ ખેડશે. તેમણે જણાવ્યું કે, આંતરિક લોકશાહી ચમકતી વીજળી છે અને માત્ર ભાજપે તેને સંભાળીને રાખી છે.
બીજી તરફ સયાજીરાવ નગરગૃહમાં ઓછી બેઠકો હોવાથી અમિત શાહને સાંભળવા માગતી ભાજપની મહિલા આગેવાનો સહિતનાં કેટલાંક કાઉન્સિલરોને નગરગૃહની બહાર ઉભા રહેવાની ફરજ પડી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયત સમય કરતાં મોડા આવતાં મહિલા કાર્યકરોએ તેમના પોસ્ટરથી છાંયડો મેળવવા પ્રયાસ કર્યો હતો.
સયાજીરાવ નગરગૃહ ખાતે અમિત શાહના કાફલાનું આગમન થતાં ભાજપના કાર્યકરોએ આતશબાજી કરી પુષ્પવર્ષા કરી તેમને વધાવી લીધા હતા. કાર્યકરોના ઉત્સાહમાં અમિત શાહની કાર આખી ફૂલોથી ઢંકાઇ ગઇ હતી. કાર્યકર્તાઓએ ગાડીની બંને બાજુએથી પુષ્પ વર્ષા કરતાં હોવાથી અમિત શાહ ગુસ્સે થઇ ગયા હતા.
વડોદરાઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગુરૂવારે વડોદરામાં ભાજપના કાર્યકરો પર જાહેરમાં ગુસ્સે થઈ જતાં સોપો પડી ગયો હતો. અમિત શાહ સામાન્ય રીતે કાર્યકરો સાથે શાંતિથી વર્તવા માટે જાણીતા છે પણ ભાજપના કાર્યકરોએ તેમની કારને ફૂલોથી ઢાંકી દેતાં અમિત શાહ અકળાઈ ગયા ગતા.