UP: બાંદામાં બસ પર વીજ તાર પડતાં લાગી આગ, 4 નાં મોત, 25 ઇજાગ્રસ્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
લખનઉઃ બુંદેલખંડ અંચલના બાંદાથી હમીરપુર જઇ રહેલી એક બસમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બસ અચાનક બેકાબૂ થઇને વિજળીના થાંભલા સાથે ટકરાઇ હતી અને બાદમાં પલટી ખાઇ ગઇ હતી. વિજળીનો થાંભલો તૂટી જવાને કારણે વીજ તાર બસ પર પડતા અચાનક બસમાં આગ લાગી ગઇ હતી. જેને કારણે બસમાં સવાર 25 લોકો દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે હોસ્ટિપલમાં દાખલ કરવામાં આવ્યા હતા.