VIDEO: 'બાહુબલી 2'નું ટ્રેલર રીલિઝ, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેનો મળશે જવાબ?

મુંબઈ: મોસ્ટ એવેટેડ ફિલ્મ ‘બાહુબલી: ધ કન્ફ્લૂજન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હવે લોકોના મનમાં એક જ સવાલ છે કે શું આ ટ્રેલરથી તેમનો જવાબ મળશે કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? આ ફિલ્મ 28 એપ્રિલના રોજ રીલિઝ થશે. 

આ ટ્રેલરનો પ્રશંસકો લાબા ગાળાથી રાહ જોઈ રહ્યા હતા. વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મથી લોકોમાં મનમાં એક જ સવાલ હતો કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?. ‘બાહુબલી: ધ કન્ફ્લૂજન’ માં તમે દેખશો કે બાહુબલી ઉંચાઈઓ સુધી કેવી રીતે પહોંચ્યો અને કેવી રીતે તેના વફાદાર કટપ્પાએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. 

ફિલ્મના નિર્માતા ટ્રેલર અગાઉ જ ફેન્સને તેનું મોશન પોસ્ટર્સ અને ટિઝર બતાવી ચૂક્ય છે. તાજેતરમાં જ ફિલ્મના ડિરેક્ટર એસ.એસ રાજામૌલીએ પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં બાહુબલીને જોઇ શકાય છે. ફિલ્મના રીલિઝ અગાઉ ક્લાઇમેક્સ લીક ના થઇ જાય તે માટે ડિરેક્ટર રાજામૌલીએ બાહુબલી-2ના ત્રણ નહીં પણ ચાર ક્લાઇમેક્સ શૂટ કર્યા છે.

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola