શું ABVPના કાર્યકરોએ સુરતમાં બાળકી પર બળાત્કાર ગુજારી કરી હતી હત્યા? શું છે આ વાયરલ મેસેજનું સત્ય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Apr 2018 10:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતઃ પાંડેસરામાં 11 વર્ષીય બાળકીના મોતના મામલામાં 3 શખ્સો સામે સુરત ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઇ છે. સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરવા મામલે ફરિયાદ થઈ છે. ABVPના નેતાએ બાળકી પર બળાત્કાર કર્યો હોવાની પોસ્ટ શેર કરાઇ હતી. પોસ્ટમાં ABVPના નેતા હરિશ ઠાકુરના નામનો ઉલ્લેખ કરાયો હતો. ઇરફાન અંજુમ અને અસ્મિતા દાસે ટ્વિટરમાં પોસ્ટ શેર કરી હતી. મોહમદ સરતાજ આલમે ફેસબુકમાં ખોટી હકીકતવાળી પોસ્ટ શેર કરી હતી.