Hu to Bolish | હું તો બોલીશ | ક્યારે થશે અધિકારીઓ અંદર?
Download ABP Live App and Watch All Latest Videos
View In App25 મે 2024.... રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા... આજે અગ્નિકાંડમાં પુત્રનું મોત થતા તેના વિયોગમાં હવે પિતાનું પણ થયું મોત...વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું... તેના પિતા જશુભા છેલ્લા એક સપ્તાહથી દીકરાના આઘાતમાં રહેતા હતા. સતત દીકરાના નામનું રટણ કરતા હતા. આખરે પુત્રના વિયોગમાં જશુભાએ પણ દેહ છોડ્યો... જશુભાના મોતથી પરિવારમાં શોક છવાયો... આ તરફ રાજકોટ અગ્નિકાંડ બાદથી અત્યાર સુધીમાં મહાપાલિકાની 36 જેટલી ટીમોએ અત્યાર સુધીમાં 1136 મિલકતની ચકાસણી કરી.... અત્યાર સુધીમાં ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ હોય કે ફાયર NOC વગરની કુલ 444 મિલકતો સીલ કરી છે.... 444 પૈકી 13 ગેમ ઝોનનો સમાવેશ થાય છે... જ્યારે શહેરની નામાંકિત સ્કૂલ, કોલેજ, હોટલ, રેસ્ટોરન્ટ અને શો-રૂમ પણ સીલ કરાયા... તો ડી-માર્ટ સહિતના મોલને પણ ફાયરની સુવિધાના અભાવે સીલ કરાયા...