ABP News

Hun To Bolish | હું તો બોલીશ | વરસાદ ગયો હવે વાત ખાડાની

Continues below advertisement

યાત્રાધામ ચોટીલાએ પણ જો આપ માતાજીના દર્શન કરવા જવાના હોય તો રાજકોટ અમદાવાદ હાઈવે પર પડેલા ખાડાથી સાવધાન રહેજો. કારણ કે આ ખાડા તમારી કમર તોડશે અથવા તો તમારુ વાહન તોડશે. થોડા દિવસ પહેલા જ નેશનલ હાઇવે ઓથોરિટી અહીં રોડ બનાવ્યો અને તૂટી ગયો. ખાડાના કારણે અહીં વારંવાર ટ્રાફિક જામ પણ સર્જાય છે. ચોટીલા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ખાડાના કારણે પરેશાન છે. 

રાજકોટ અમદાવાદ હાઈવે સુરેન્દ્રનગરની હદમાં પણ બિસ્માર બન્યો છે. 6 મહિના પહેલા જ હાઈવે બનાવવામાં આવ્યો અને તૂટી પણ ગયો. નવા હાઈવે પર ડામર નાખવામાં પણ આવ્યો છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે. 7 વર્ષથી સિક્સલેનનું કામ ચાલી રહ્યું છે. એમા પણ રોડના ખાડાના કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. 

રાજકોટ અમદાવાદ હાઈવ પર નવા બની રહેલા ટોલનાકા પાસે હાઈવે તૂટ્યો. હજુ સિક્સલેનનું કામ પૂર્ણ થયું નથી ત્યાં હાઈવે પર ખાડા પડ્યા. માલીયાસણ અને ક્રિષ્ના પાર્ક વચ્ચેના રસ્તામાં મસ મોટા ખાડા પડ્યા. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વાહનો પસાર થાય છે ત્યાં રોડની હાલત બિસ્માર છે .

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram