આતંકી હુમલા બાદ ભારતીયોને શ્રીલંકા ન જવા વિદેશ મંત્રાલયે આપી સલાહ, જુઓ વીડિયો
શ્રીલંકામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પણ પોતાના નાગરિકોને શ્રીલંકા નહીં જવાની સલાહ આપી છે. ભારત સરકારે શનિવારે એક સૂચના આપતા પોતાના નાગરિકોને કહ્યું કે, તેઓ શ્રીલંકામાં હાલમાં જ થયેલા હુમલામાં 250થી વધુ લોકોના મોત થવાની ઘટાને ધ્યાનમાં રાખી ત્યાંની બિન-જરૂરી યાત્રા કરવાનું ટાળે. આ પહેલા અમેરિકાએ પણ પોતાના નાગરિકોને ત્યાં જવા પર મનાઈ ફરમાવી છે. શ્રીલંકામાં શનિવારે ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે.