PM મોદીએ 'મન કી બાત'માં સુરતના જે 'ચાય પે લગ્ન'નો ઉલ્લેખ કર્યો તે કેવા હતા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ વડાપ્રધાન મોદી આજે રેડિયો પર ‘મન કી બાત’ કરી રહ્યા છે. મોદીએ 26મી વખત દેશને સંબોધન કર્યું હતું. આજે મન કી બાતમાં મોદીએ નોટબંધીની સૌથી વધુ ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે નોટબંધીનો નિર્ણય સામાન્ય નહોતો. અનેક મુશ્કેલીઓથી ભરેલો છે. મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સુરતમાં યોજાયેલા ‘ ચાય પર લગ્ન’ની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે ABP અસ્મિતા ન્યૂઝ ચેનલે સૌ પ્રથમવાર આ અનોખા લગ્નનો અહેવાલ આપ્યો હતો.
મોદીએ જણાવ્યું કે, ગુજરાતના સુરતમાં ફક્ત ચાય પર લગ્ન કરવામાં આવ્યા હતા. મોદીએ આ કપલને શુભકામનાઓ આપી હતી. મોદીએ કહ્યું કે કપલનો આ નિર્ણય ભ્રષ્ટાચાર અને બિનજરૂરી લગ્ન વિરુદ્ધનું પગલું છે. મોદીએ કહ્યું કે નોટબંધીમાંથી બહાર નીકળતા હજુ 50 દિવસ લાગશે.