Ahmedabad Mass Suicide: એક જ પરિવારના પાંચ લોકોએ કરી આત્મહત્યા | Abp Asmita

Ahmedabad Mass Suicide: એક જ પરિવારના પાંચ લોકોએ કરી આત્મહત્યા | Abp Asmita 

બાવળા નજીક આવેલા બગોદરા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, બગોદરા બસ સ્ટેશન પાસે આવેલી એક ઘરમાં આ કરુણ બનાવ બન્યો હતો. મૃતક પરિવાર મૂળ ધોળકાનો વતની હતો અને છેલ્લા કેટલાક સમયથી બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે પિતા રિક્ષા ચલાવતા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, પરિવારમાં પતિ, પત્ની, બે દીકરીઓ અને એક દીકરાનો સમાવેશ થાય છે. અગમ્ય કારણોસર આ પરિવારે રાત્રે કોઈ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેમની સાથે ગ્રામ્ય SOG, LCB, FSL અને ધંધુકાના ASP સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola