Ahmedabad PG Guideline : સોસાયટીની NOC વગર PG નહીં ચલાવી શકાય, સોસાયટીઓને મળશે મોટી રાહત
Ahmedabad PG Guideline : સોસાયટીની NOC વગર PG નહીં ચલાવી શકાય, સોસાયટીઓને મળશે મોટી રાહત
Ahmedabad News: અમદાવાદમાં પીજીનો વ્યવસાય મોટા પ્રમાણમાં ચાલે છે. જો કે આ મામલે અમદાવાદ કોર્પોરેશને નવી પોલિસી જાહેર કરી છે. જો આપ પણ આ વ્યવસાય સાથે જોડાયેલા છો અથવા તો આપ પીજીમાં રોકાણ કરીને આ વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો સૌથી પહેલા અમદાવાદ કોર્પોરેશનની નીતિને જાણી લો. PG માટે AMCએ પોલિસી જાહેર કરી છે.
અમદાવાદમાં હોસ્ટેલ, બોર્ડિંગ, PG માટે AMCની પોલિસી શું છે જાણીએ
ઉલ્લેખનિય છે કે, અમદાવાદની જૂની સોસાયટીમાં મોટા પ્રમાણમાં પીજી ચાલે છે. પીજીના કારણે સોસાયટીના અન્ય રહેવાસીઓને અનેક વખત મુશ્કેલીનો સામનો કરે પડે છે.સોસાયટીમાં ચાલતા પીજીના કારણે કેટલીક સમસ્યા સર્જાતા અનેક વખત સોસાયટીના રહેવાસીની ફરિયાદો પણ સામે આવી હતી.આ તમામ સમસ્યાના નિવારણ માટે અમદાવાદ કોર્પોરેશને પીજી, બોર્ડિગ હોસ્ટેલ ચલાવવાના આ નિયમો જાહેર કર્યાં છે.
શહેરોમાં ચાલતા PG-હોસ્ટેલ્સ અંગે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું છે. કોર્ટે જણાવ્યું છે કે પ્રોપર્ટીમાં કોણ અને કયાં વિસ્તારનાં લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી છે. રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, ભવિષ્ય માટે નેશનલ સિક્યુરિટીનો પ્રશ્ન બની શકે છે.
શિવરંજની વિસ્તારમાં ચાલતા એક PG વિવાદની સુનાવણી દરમિયાન કોર્ટનું મહત્ત્વનું અવલોકન સામે આવ્યું છે. કોર્ટે જણાવ્યું કે, રજિસ્ટ્રેશન સહિતની મંજૂરીઓ વિના ચાલતા PG, હોમસ્ટે-હોસ્ટેલ દેશની સુરક્ષાનો પ્રશ્ન બની શકે છે.પ્રોપર્ટીમાં કોણ અને કયાં વિસ્તારનાં લોકો રહે છે તેની જાણ હોવી જરૂરી છે. આ સાથે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) PG, હોમસ્ટે અને હોસ્ટેલનાં રજિસ્ટ્રેશન સહિતનાં નિયમો અંગે જાગૃતિ ફેલાવવા, નિયમો અને રજિસ્ટ્રેશન અંગે પ્રચાર પ્રસાર કરવા તંત્રને નિર્દેશ કર્યો છે.