Ahmedabad Plane Crash: '1.25 લાખ લિટર ઇંધણ કારણે બચવાનો મોકો જ ન મળ્યો': અમિત શાહ

આજે બપોરે અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યાર બાદ તેમણે સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, "આખો દેશ પીડિત પરિવારો સાથે ઉભો છે."

અમિત શાહનું નિવેદન

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, "એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 બપોરે ક્રેશ થઈ ગઈ. ઘણા મુસાફરોના મોતની શક્યતા છે. આ ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. આખો દેશ પરિવારો સાથે ઉભો છે. સૌ પ્રથમ, ભારત સરકાર, ગુજરાત સરકાર, અને વડા પ્રધાન વતી, હું પીડિતો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું."

ઘટનાની જાણકારી મળ્યાના ૧૦ મિનિટમાં જ ભારત સરકાર સુધી માહિતી પહોંચી ગઈ હોવાનું તેમણે ઉમેર્યું. તેમણે કહ્યું, "મેં તાત્કાલિક બધાનો સંપર્ક કર્યો. મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ફોન આવ્યો. ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્ય માટે સાથે મળીને કામ કરી રહ્યા છે."

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola