અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં કોરોના વિસ્ફોટ, બે દિવસમાં કેટલા પોલીસકર્મીઓને થયો કોરોના?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App અમદાવાદના પોલીસ મથકોમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. છેલ્લા બે દિવસમાં 34 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ચાંદખેડા પોલીસ મથકમાં 10 પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા. પોલીસ કર્મચારી અધિકારીઓના ઝોન વાઈસ ટેસ્ટ શરૂ કરાતા કોરોનાના કેસો મળી રહ્યા છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈંસ્પેકટર સહિત 10 પોલીસ કર્મચારી કોરોનાથી સંક્રમિત નીકળતા હોમ કોરોંટાઈન કરાયા છે. હાલમાં 120 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત જ્યારે પોલીસ સંક્રમિત થવાનો આંક 1 હજારને પાર કરી ગયો છે. તો અત્યાર સુધીમાં 11 પોલીસ કર્મચારીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે