ગુજરાત કોંગ્રેસે શરૂ કરી જનતા અદાલત
અમદાવાદ: ગુજરાત સ્થાપના દિવસએ કોંગ્રેસએ પુષ્પાજંલી અર્પણ કરી હતી. લાલદરવાજા ખાતે આવેલી ઈંદુચાચા પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી. જબ તક સુરજ ચાંદ રહેગા ઈંદુચાચાકા નામ રહેગાના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત સરકાર પર વિવિધ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા. શિક્ષણનું વેપારિકારણ,પેપર ફૂટવાના મુદ્દા, આર્થિક અસમાનતા, માલધારી અસ્મિતા, ટેક્ષના ભારણ આવા વિવિધ મુદ્દાઓ પર જનતા અદાલતનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું. જેમા વિપક્ષના કેટલાક નેતાઓ સરકાર પર આરોપ કર્યા અને સરકારે જવાબ આપ્યો.