અમદાવાદમાં વસ્ત્રાપુરમાં કોરોના ટેસ્ટ માટે ડોમની સંખ્યામાં કરાયો વધારો, જુઓ વીડિયો
કોરોના ટેસ્ટિંગ માટે નાગરિકોનો ઘસારો જોતા 100 મીટરની અંદર 2 ડોમ ઉભા કરાયા હતા. ધનતેરસના દિવસે પણ લોકો લાંબી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બીજો ડોમ ઉભો કરવામાં આવ્યો છે.છેલ્લા બે સપ્તાહથી કોવિડ માટે ટેસ્ટિંગ કરાવવા આવતા નાગરિકોના ઘસારાના પગલે AMC દ્વારા રાતોરાત સો મીટરની અંદર બીજો ડોમ ઉભો કરાયો છે. રાજ્ય સરકારે દિવાળી દરમિયાન અને દિવાળી સુધીમાં કોરોનાના કેસ વધવાની શકયતા વ્યક્ત કરી હતી જેના કારણે AMC દ્વારા પોલિસીઓ પણ તૈયાર કરવામાં આવી છે.