Ahmedabad માં નહેરૂબ્રિજ બંધ થતા ટ્રાફિકની સર્જાઇ સમસ્યા, ટ્રાફિકમાં સાત AMTS ફસાઇ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2021 02:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં વર્ષ 1962માં બનાવેલ નહેરુબ્રિજ 27 એપ્રિલ સુધી સમારકામના કારણે બંધ છે જેના કારણે સીટી વિસ્તારમાં ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા. નહેરૂ બ્રિજ પરથી પસાર થતા વાહનો એલિસબ્રિજ અને ગાંધી બ્રિજ પર ડાયવર્ટ કરાતા ટ્રાફીક સર્જાયો હતો. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકમાં સામાન્ય વાહન ચાલકોની સાથે સાત AMTS અને ચાર BRTSની બસો પણ ફસાઈ હતી.