Ramesh Vishvas:દુર્ઘટનાને લઈને બચી ગયેલા યાત્રિક રમેશ કુમારે કરી ચોંકાવનારી વાત, જુઓ ઈન્ટરવ્યૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી હતી. તેઓ આ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા મુસાફર વિશ્વાસ કુમાર રમેશને પણ મળ્યા હતા. વિશ્વાસે કહ્યું કે હું વિમાનમાંથી કૂદી પડ્યો ન હતો પરંતુ સીટ સાથે વિમાનમાંથી બહાર આવ્યો હતો.
ગુજરાતના અમદાવાદમાં 12 જુન ગુરુવારે બપોરે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગઈ. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થઈ ગયા. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં એક મુસાફરનો ચમત્કારી બચાવ થયો છે. સીટ 11A પર બેઠેલા વિશ્વાસ કુમાર રમેશ એક માત્ર વ્યક્તિ હતા કે જેમનો આ ક્રેશની દુર્ઘટનામાં બચાવ થયો. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના પછી લાગેલી આગમાંથી તેમનો ચમત્કારિક બચાવ કેવી રીતે થયો, આ અંગે તેમણે ખુલાસો કર્યો છે.