Ahmedabad: મણિનગર રેલવે ફાટક પાસે ટ્રેન અડફેટે બે વિદ્યાર્થીઓના મોત મામલે શું થયો મોટો ઘટસ્ફોટ ?
અમદાવાદના મણિનગર રેલેવે ફાટક પાસે ટ્રેન ની અડફેટે આવતા બે વિદ્યાર્થીઓના મોત મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. ટ્યુશન ક્લાસ માંથી છૂટેલા વિદ્યાર્થીઓ રીક્ષા માં ઘરે જતા હતા હત્યારે રીક્ષા ચાલકે ચાલતા રેલવે ટ્રેક ઓળગવાનું કહ્યું હતું અને અચાનક ટ્રેન આવી જતા વિદ્યાર્થીઓ અડફેટે આવ્યા હતા. ખોખરા પોલીસે રીક્ષા ચાલક અને ટ્યુશન ક્લાસિસ ચલાવનાર બે સંચાલકો સામે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી.