નરેશ પેટલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચા વચ્ચે આજે ખોડલધામમાં યોજાશે મહત્વની બેઠક
રાજકોટના કાગવડમાં આજે ખોડલધામમાં બેઠક યોજાશે, સરદાર પટેલ ભવન માં આજે બપોરે ત્રણ વાગ્યે મળશે બેઠક,આ બેઠક ને આમ તો રૂટિન ગણાવાઈ રહી છે.નરેશ પટેલ ના રાજકીય પ્રવેશ ને લઇ ને આ બેઠક માં ચર્ચા ની શક્યતા જોવાઇ રહી છે. કાગવડ ખોડલધામ ટ્રસ્ટ ની બેઠક મળે તે પૂર્વે આજની બેઠક પર મીટ મંડાઇ રહી છે. નરેશ પટેલ ના રાજકીય પ્રવેશ મુદે પોલિટિકલ સમિતિ નૉ સર્વે પણ આ બેઠક માં રજુ થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.