Bhavnagar Suicide | ભાવનગરમાં વ્યાજખોરોથી કંટાળી યુવકનો આપઘાત, જુઓ અહેવાલ

Bhavnagar Suicide | ભાવનગર શહેરમાં વધુ એક યુવાને વ્યાજખોરના માનસિક ત્રાસથી પોતાનો જીવ હોમી દીધો હોવાની ઘટના આવી સામે. શહેરના તિલક નગર વિસ્તારમાં રહેતા નરેશભાઈ ચૌહાણ નામના માત્ર 37 વર્ષીય યુવાને પોતાના ધરે ગળાફાંસો ખાય આત્મહત્યા કરી લીધી અને પરિવારજનોએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના કર્યા આરોપ. મૃતક યુવાનને પરિવારમાં એક માસુમ બાળક છે જેને પિતાની છત્રછાયા ગુમાવી છે. ચાની દુકાન ચલાવતા નરેશભાઈ વ્યાજખોર નો ભોગ બન્યા છે આ વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરી પોતાનો જીવ આપી દીધો. સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola