ગાંધીનગર ભાજપના નિરીક્ષક અમિત ઠાકરેના પ્રહાર, કહ્યુ- કોગ્રેસને ઉમેદવાર ન મળ્યા જેવી સ્થિતિ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ભાજપનો વિજય થશે તેવો નિરીક્ષક અમિત ઠાકરે દાવો કર્યો હતો. અમિત ઠાકરે કહ્યું કે ગાંધીનગરના (Gandhinagar) મતદાતાઓ ભાજપ (BJP)ને મત આપશે અને ભાજપના તમામ 44 ઉમેદવારોની જીત નિશ્ચિત છે. કારણ કે નો રિપીટ થિયરીના કારણે ભાજપને લાભ થશે. સાથે જ તેમને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રચાર કરવાનો પણ દાવો કર્યો હતો.