કોરોના ટેસ્ટિંગને લઇને ગુજરાત સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ, જુઓ વીડિયો
કોરોના ટેસ્ટિંગને લઈ રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તેવા સિમ્ટેમેટિક દર્દીઓ માટે હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. જે દર્દી સિમ્ટેમેટિક હોય અને તેનો રેપીડ તેમજ RTPCR ટેસ્ટ નેગેટીવ આવે તો તેને સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ કરાવવો પડશે. કેન્દ્રની આરોગ્ય ટીમે કરેલા સૂચનોને અનુલક્ષીને રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન્સ અમલી કરી છે.