Gandhinagar: રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો લાવી શકે છે

રાજય સરકાર આરોગ્ય ક્ષેત્રનો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો લાવી શકે છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદો લાગુ થયા બાદ ગુજરાતની તમામ હોસ્પિટલો અને ક્લિનિક્સ વધું પારદર્શક બનશે. જયાં દર્દીઓને અપાતી સારવાર, દવાઓ અને અન્ય સગવડોના ચાર્જ સહિતની યાદી પ્રવેશના સ્થળે તમામ લોકોને દેખાય તે રીતે મૂકવાની રહેશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ કાયદોના અમલ બાદ હોસ્પિટલમાં માનવીય ભૂલથી દર્દીનો જીવ જશે તો હોસ્પિટલનું રજિસ્ટ્રેશન રદ સહીત ડૉક્ટરને કડક સજા થઈ શકે પણ તેવી જોગવાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola