રાજ્યમાં વાવાઝોડાને પગલે પ્રશાસન એલર્ટ, જાણો ક્યા જિલ્લામાં કરાઇ વરસાદની આગાહી, જુઓ વીડિયો
સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનું સંકટ છે. વાવાઝોડાના સંકટને લઈ પ્રશાસન એલર્ટ બન્યું છે.16 એપ્રિલથી સૌરાષ્ટ્રના જુદા- જુદા વિસ્તારમાં ત્રણ દિવસ માટે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાના ખતરાને લઈને તમામ અધિકારી- કર્મચારીઓને હેડક્વાર્ટસ ન છોડવા સૂચના આપવામાં આવી છે. હાલ સંભવિત ખતરાને પગલે NDRFની કુલ 15 ટીમને તૈનાત કરાશે. ત્રણ ટીમ ગાંધીનગરમાં રહેશે. જ્યારે 12 ટીમને વડોદરામાં સ્ટેંડબાય કરાઈ છે.