આપણે એકેય દિવસ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની તૂટ આવવા દીધી નથી, કોઈ પણ હોસ્પિટલમાં ઓક્સિજન વિના કોઈનાં મૃત્યુ થવા દીધાં નથી, ભગવાનની કૃપા છે....

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે છેલ્લા માસમાં કોરોના બેડની સંખ્યા ૪૧,૦૦૦થી વધારીને ૧ લાખ કરી છે. રાજ્યમાં ૫૮,૦૦૦ ઓક્સિજન બેડ અને ૨,૦૦૦ જેટલી હોસ્પિટલમાં ૧૧૦૦ ટન ઓક્સિજનનો ૨૪ કલાક અવિરત સપ્લાય આપ્યો છે. છેલ્લા એક માસમાં ૭ લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવાયા છે. છેલ્લા દોઢ માસમાં ગુજરાતમાં ૨ લાખ ૭૫ હજારથી વધુ લોકોનું વેક્સિનેશન થયું છે. રાજ્ય સરકારના સઘન પગલાં તેમજ લોકોનો સહકાર- જાગૃતિથી કોરોનાની બીજી લહેરમાંથી ગુજરાત બહાર આવી રહ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola