ABP News

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્ત

Continues below advertisement

દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત.સાત લોકોના મોતની આશંકા. 15 લોકો ઈજાગ્રસ્ત.

દ્વારકાના બરડીયા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, દ્વારકાના બરડીયા પાસે બે કાર અને ટ્રાવેલ્સ ટકરાઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.  અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાળીયા અને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ અધિકારીઓનો કાફલો અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola