Abp Asmita Impact: રાજ્યમાં પ્રથમ વખત દાદાનું બુલડોઝર ભ્રષ્ટાચારની કેનાલ પર ફર્યું
Continues below advertisement
abp અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર જોવા મળી.. ખેડાની વાંઠવાડી ગામમાંથી પસાર થતી કેનાલ તોડી પડાઈ. રાજ્યમાં પ્રથમ વખત દાદાનું બુલડોઝર ભ્રષ્ટાચારની કેનાલ પર ફર્યું. abp અસ્મિતાના અહેવાલ પ્રસારિત થયાના 24 કલાકમાં કેનાલ તોડી પડાઈ. પૂર્વ મંત્રી અને મહેમદાબાદના MLA અર્જુનસિંહ ચૌહાણે પર્દાફાશ કર્યો હતો. 2 કરોડના ખર્ચે બની રહેલી કેનાલમાં હતા લોટ, પાણી અને લાકડા..સિમેન્ટના નામે કેનાલ બનાવવામાં માત્ર ધૂળનો ઉપયોગ થયો હતો. પગની ઠેસ મારતા જ કેનાલમાં ગાબડા પડતા હતા. છેવટે આ ભ્રષ્ટાચારની કેનાલને બુલડોઝરથી તોડી પડાઈ છે. પણ હવે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે અને કામગીરી પર દેખરેખ રાખતા અધિકારીઓ પર ક્યારે પગલા લેવાશે તે મોટો સવાલ છે. ભ્રષ્ટાચારની કેનાલ બનાવનાર કોંટ્રાક્ટર સામે પણ દાખલારૂપ કાર્યવાહી કરવી જરૂરી છે.
Continues below advertisement
Tags :
ABP Asmita ImpactJOIN US ON
Continues below advertisement