Mansukh Vasava : નર્મદામાં ભાજપની હાર પર સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપને હાર મળી છે.. ત્યારે રાજપીપળા APMC પર સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ સંગઠનની બેઠક મળી.. જેમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા તો ઉપસ્થિત રહ્યા. પરંતુ ક્યાંકને ક્યાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની બાદબાકી જોવા મળી. બેઠકમાં ભાજપની હારનું મનોમંથન કરવામાં આવ્યુ.. તો સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે હારનો સ્વીકાર કરતા રહી ગયેલી ખામીને દૂર કરવાની ખાતરી આપી. સાંસદ મનસુખ વસાવાએ વિરોધી પક્ષો પર અપપ્રચારનો આરોપ લગાવ્યો.. સાથે જ હાર પાછળ જિલ્લા ભાજપના સંગઠનનો પણ દોષ હોવાની વાતનો સ્વીકાર કર્યો..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola