નવસારીમાં વધુ એક હવસખોર તાંત્રિકે મહિલા પર આચર્યું દુષ્કર્મ
નવસારીમાં વધુ એક હવસખોર તાંત્રિક એ દુષ્કર્મઆચર્યું હોવાની ઘટના સામે આવી છે. રામલામોરા ગામના કથિત જયેશબાપુએ મહિલાને તંત્રમંત્ર ના નામે આચર્યુ દુષ્કર્મ. ગણદેવીની મહિલાની બીમારી દૂર કરવાના બહાને 20 ઓક્ટોમ્બરે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરતા કથિત જયેશબાપુની અટકાયત કરી છે. ઘટનાને લઈ તાંત્રિક જયેશબાપુ વિરુદ્ધ નવસારીમાં જન આક્રોશ વ્યાપ્યો છે.