બનાસકાંઠાઃખેતરમાં મૃતદેહ મળી આવવા મામલે ભીલ સમાજના લોકોના ધરણાં, જુઓ વીડિયો
બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામે ત્રણ દિવસ અગાઉ થાંભલે લટકતી મળી આવેલી લાશ મામલે 300થી વધુ ભીલ સમાજના લોકો પાંથાવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે ધરણાં પર બેઠા હતા. પાંથાવાડા હાઇવે પર આવેલા સી.એન.જી.પંપની સામે આવેલા ખેતરમાં વીજથાંભલા પર દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં પ્રકાશભાઇ હંસાજી માજીરાણાની લટકતી લાશ મળી આવી હતી.