મોરબી: ભારત બંધના સમર્થનમાં ચક્કાજામનો પ્રયાસ કરતા કૉંગ્રેસ કાર્યકરોની કરાઈ અટકાયત
મોરબી : ભારત બંધના સમર્થનમાં નહેરુગેટ ચોક પર રોડ ચક્કજામ કરવાનો પ્રયાસ કરી રહેલા મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનોને ડિટેઇન કરાયા હતા. કોંગ્રેસ આગેવાન જયંતિભાઈ પટેલ, રમેશ રબારી, કે ડી પડસુમબીયા સહિતના 10 થી વધુ આગેવાનોને ડિટેઇન કરાયા હતા, તો કેટલાક આગેવાનોને પોલીસે ઘરે જ નજરકેદ કર્યા હતા. આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે.