કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનના વળતર મામલે CM રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન?
હાલમાં પડેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુક્સાનના વળતરને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ મોટું નિવેદન આપ્યુ છે. માવઠાથી થયેલા નક્સાનીનું સર્વે કરાવ્યા બાદ વળતરની જાહેરાતના મુખ્યમંત્રીએ સંકેત આપ્યા છે. સીએમ રૂપાણી કહ્યું કે કમોસમી વરસાદથી થયેલ નુક્સાનને લઈ સર્વે કરાશે. સર્વે બાદ જ્યાં નુક્સાન થયું હશે ત્યાં વળતર અંગે વિચાર કરીશું. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે..અને અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે.