દિલ્હીમાં ખેડૂત આંદોલન કોણ ચલાવી રહ્યુ હોવાનો કેન્દ્રિય મંત્રી રૂપાલાએ લગાવ્યો આક્ષેપ?
કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું, “ખેડુતોનું આંદોલન અને તેમની માંગ અસ્થાને છે. ખેડુતોનાં આંદોલનનાં મંચનો ઉપયોગ વિરોધીઓ કરી રહ્યાં છે. મેઘા પાટકર જેવા લોકો અને કૉંગ્રેસ આ આંદોલનમા સામેલ થયાં છે. અમે સ્વીકારીએ છીએ કે કૃષિ કાયદાને ખેડૂતો સુધી અમે સરખી રીતે ન પહોંચાડી શક્યા. ખેડૂતોને બિલનાં હકારાત્મક મુદ્દાઓ અમે ન સમજાવી શક્યા. એમએસપી, ખેતી જમીન અને એપીએમસી ની વ્યવસ્થા મા કોઈ બદલાવ થવાનો નથી.”