ગુજરાતમાં લોકડાઉન લગાવવાને લઇને મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન?

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં કોરોના બેકાબૂ બન્યો છે. રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગશે તેવી ચર્ચા શરૂ થઇ છે. દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં હાલમાં ફરીથી લોકડાઉન લગાવવાનું સરકારનું કોઇ આયોજન નથી. શાળા કોલેજમાં પરીક્ષા ઓનલાઇન કે ઓફલાઇન લેવામાં આવશે તેને લઇને આજે નિર્ણય લેવામાં આવશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola