નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની CM રૂપાણીએ કરી જાહેરાત, નવા નિયમોનો ક્યારથી થશે અમલ?
રાજયમાં ફાયર સેફ્ટીના નવા માળખાનો 26મી જાન્યુઆરીથી અમલ કરાશે. રાજયમાં ફાયર સેફ્ટી એક્ટનો ચુસ્ત અમલ થાય અને નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે રાજય સરકાર તરફથી કેટલાક મહત્વના નિર્ણય કરાયા છે. રાજયમાં હવે નવા ફાયર એનઓસી ઓનલાઈન આપવામા આવશે. રાજ્યમાં વધી રહેલી આગની દુર્ઘટનાઓ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની જાહેરાત કરી છે.