મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના કર્યા દર્શન, કહ્યુ- અંબાજીમાં હેલિપેડ બનાવવાનું પણ આયોજન

Continues below advertisement
મુખ્યમંત્રી વિજય રૂપાણી માં અંબાના આશિર્વાદ લેવા અંબાજી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલીબેન રૂપાણી સાથે અંબાજી પહોંચ્યા. જ્યાં તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો. મુખ્યમંત્રીએ મા અંબાજીના દર્શન કરી ગુજરાતની સાડા છ કરોડની જનતાની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. સીએમ રૂપાણીએ કહ્યું કે અંબાજી ડેવલોપમેન્ટ ઓથોરિટી માટે ગઈકાલે કલેકટર સાથે બેઠક કરી અને ઝડપથી પ્લાન બનાવીને અંબાજીનો વિકાસ થાય તે દિશામાં કામ શરૂ કરવામાં આવશે..મંદિર અને અંબાજી શહેરને વેલ પ્લાન્ટ બનાવવાનું હાઈ પાવર કમિટીને સૂચન કરાયું છે. સાથે જ અંબાજીમાં હેલિપેડ બનાવવાનું પણ ટૂંક સમયમાં આયોજન છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram