'જે ભાજપવાળા ચૂંટણી જીત્યા તેમના ઘરે જઇ પથ્થરમારો કરવો જોઇએ', કોગ્રેસના ક્યા MLAએ આપ્યું નિવેદન?
મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેરદેવી પર કારોબારી બેઠક યોજાઈ. જેમાં દાહોદના ગરબાડાના કૉંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેન બારીયાએ ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યુ. તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ટાંકીને નિવેદન આપતા ચંદ્રિકાબેને જણાવ્યું કે જે જે ભાજપવાળા જીત્યા છે એમના ઘરે જઈ પથ્થરમારો કરવો જોઈએ. એટલુ જ નહી આ સિવાય પણ કેટલાક વિવાદાસ્પદ શબ્દનો ઉપયોગ કર્યો હતો.