અરવલ્લી: મોડાસા અને વાત્રકમાં આવેલા કોવિડ સેન્ટર બંધ કરાતા લોકોને મુશ્કેલી
રાજ્ય સરકારે ટ્રસ્ટ સંચાલિત હોસ્સ્પીલમાં એમઓયુ આધારિત જિલ્લામાં ચાલતા કોવીડ કેર સેન્ટરો બંધ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આવેલા વાત્રક અને મોડાસા ખાતેના કોવીડ સેન્ટર બંધ કરવામાં આવતા લોકો માટે મુશ્કેલી ઉભી થઇ છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના કેસો ૮૫૦ થી વધુ નોધાઇ ચુક્યા છે ત્યારે હવે જિલ્લામાં કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પણ કોરોને વિદાય લીધી નથી.