મહારાષ્ટ્રમાં ટેસ્ટ નહીં તો પ્રવેશ નહીં પરંતુ ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર ગ્રાઉન્ડ રિયાલિટી કંઈ જુદી જ
કોરોના સંક્રમણને વધતુ અટકાવવા મહારાષ્ટ્ર સરકારે ટેસ્ટ નહીં તો પ્રવેશ નહીંનો અમલ શરુ કરી દીધો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ કહ્યું છે કે, મહારાષ્ટ્ર આવવા માટે કોરોના રિપોર્ટ હોવો જરૂરી છે. તારીખ 25 નવેમ્બરથી જે પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી કે મહારાષ્ટ્રમાં પ્રવેશનાર તમામનું સ્ક્રિનિંગ અને કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે પણ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ગ્રાઉન્ડ રિયાલિટી કંઈ જુદી જ જોવા મળી હતી