ભગવાન શામળાજીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી, જુઓ વીડિયો
અરવલ્લી જીલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે નવ વર્ષની ઉજવણી ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી .આ પ્રસંગે વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શામળીયાના દર્શન માટે ઉમટ્યા હતા. જોકે કોરોના મહામારીને પગલે ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો હતો . નવ વર્ષ નિમિત્તે ભગવાન શામળીયાને સફેદ જરીના વસ્રો અને સોનાના અલંકારોથી શણગાર કરાયા હતા જે શામળીયાના દર્શન કરી અનેક ભક્તોએ નવ વર્ષનો પ્રારંભ કર્યો હતો.