Porbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવ

Continues below advertisement

સરકાર દ્વારા ગરીબ લોકો ને રહેવા માટે સારું ઘર મળી રહે બીએસયુપી યોજના મકાન આવપવા માં આવેલ છે જેમાં  પોરબંદરના બોખીરા વિસ્તારમાં બનાવાયેલી આવાસ યોજનામાં વધુ એક ફ્લેટમાં ગઈ કાલે વહેલી સવારે એક મકાન નો સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો જો કે સદનશીબે આ સમયે  મહિલા બાથરૂમમાં હોવાથી કોઈ ઈજા થઈ ન હતી.

પોરબંદરના બોખીરા વિસ્તારમાં બીએસયુપી યોજના હેઠળ શહેરી ગરીબો માટે ૨૪૪૮ આવાસ નું  નિર્માણ કરાયું છે જેમાં 2200  થી વધુ આવાસ ની ડ્રો કરી ફાળવણી પણ છે કરવામાં આવી છે જેમ મોટાભાગ ના લોકો અહિયાં રહેવા પણ આવી ગયા છે પરંતુ આ આવાસ ક યોજનાના મકાન બનવાના શરુ થયા ન ત્યારથી જ તેના નબળા કામને લઈને - વિવાદ માં રહ્યા છે અને અવાર નવાર આ બનાવેલ આવાસના બ્લોક માં સ્લેબમાંથી પોપડા ખરવાના બનાવ પણ બનતા રહે છે ત્યારે ગઈ કાલે સવારે આવાસ યોજનાના બિલ્ડીંગ નં-૪૬ ના ૨ બ્લોક નં ૪૭ માં રહેતા અને બંદર વિસ્તારમાં પાનનો વ્યવસાય કરતા મનોજભાઈ જુંગીના ફ્લેટમાં વહેલી અચાનક જ સ્લેબ નો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. સદભાગ્યે તેમના પત્નીને અષાઢીબીજની શોભાયાત્રામાં જવાનું હોવાથી વહેલા ઊઠયા હતા.અને તેઓ બાથરૂમમાં હતા ત્યારે સ્લેબ ધરાશાયી થતા તેઓને કોઈ ઈજા થઈ ન હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram